કહે છે કે ‘વેદોનો જન્મ પણ તંત્રવિદ્યામાંથી થયો’ તાત્પર્ય કે વેદો લખાયા તે પહેલાં તંત્રવિદ્યાનું અસ્તિત્વ હોવું જોઈએ. શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને ગણપતિ વગેરે દેવતાઓને તંત્રમાં સ્થાન અપાયું છે. ઉત્તર ભારતમાં દેવરાહા બાબા તડકામાં ઘાસનો મંડપ બાંધી ઉપાસના કરતા. ઇન્દિરા ગાંધીને હેલિકોપ્ટરમાં આવીને દેવરાહા બાબાને ચરણે પડતાં જોયાં છે. ઇન્દિરાજી તાંત્રિકો પર શ્રદ્ધા રાખતાં. તાંત્રિકો બીજા અધ્યાત્મવાદીઓની માફક બ્રહ્નચર્યમાં માનતા નથી. તંત્રવિદ્યા તો કહે છે કે જગતમાં પેદા થયેલી તમામ ભોગવી શકાય તેવી ચીજોને ભોગવી લેવી જોઈએ. બધું ભોગવી લીધા પછી જ મનની મુક્તિ કે મોક્ષ મળે છે. છેલ્લા સાડાચાર દાયકાથી સેક્સોલોજીનું ભારતને પ્રથમ ભાન કરાવનારા ડૉ.. પ્રકાશ કોઠારી પણ કહે છે કે તંત્રવિદ્યા એ પ્રાચીન છતાં અવૉચીન વિદ્યા (મોડર્ન) છે. તંત્ર એ મુખ્યત્વે શિવ પર આધાર રાખે છે. તમે કોઈ ચીજને આદર્શ અવસ્થા પર લઈ જાઓ તો શિવ થઈ જાઓ છો. તંત્ર અને યોગ અલગ છે પણ તંત્રને યોગની શાખા ગણાય છે. તંત્ર બધાં જ પાપ અને પુણ્યનાં બંધનોથી મુક્ત છે. મદીરા, મૈથુન, માંસ અને માછલીના આહાર વગેરેની તાંત્રિકોને છુટ છે. મણશિંક ભટ્ટની ભગવદ્ગો મંડળની વાતને ડૉ. કોઠારી બળ આપે છે. તેમાં લખ્યું છે કે તંત્રવિદ્યામાં સ્ત્રી-શક્તિને પ્રાધાન્ય અપાયું છે. તેનો તમારે અવળો અર્થ લેવાનો નથી. તમે તમારા પાર્ટનરને પૂર્ણપણે સરન્ડર (તાબે) થઈ જાઓ તો તમને વિશેષ કમ્ફર્ટ લેવલ મળે છે તેવો શબ્દપ્રયોગ ડૉ. પ્રકાશભાઈ કોઠારી કરે છે.
તંત્રવિદ્યા વાસ્તવમાં શું છે?
તંત્ર એ મંત્રશાસ્ત્રની એક પૂરક વિધા છે. મંત્રસાધનામાં જેમ યંત્રનું એક ચોક્કસ સ્થાન છે તેમ તંત્રનું પણ એક ચોક્કસ સ્થાન છે. આને ટૂંકમાં સમજીએ તો મંત્ર એ અક્ષરોના સંયોજનોથી બનતી એક વિશિષ્ટ શબ્દાવલી છે, જેમાંથી નીકળતાં કંપનો વાતાવરણમાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો પેદા કરીને પોતાનું કાર્ય બજાવે છે. આ મંત્ર કઈ રીતે ગણવો, તેમાં કઈ-કઈ સામગ્રી વાપરવી, કયા હેતુ માટે કયા સમયે, કયા આસને બેસવું, કેવી માળાઓનો ઉપયોગ કરવો, પવિત્ર ઔષધિઓ અને ખનિજૉનું કેવું અને કેટલું મિશ્રણ કરવું, કઈ સાધના માટે કયું નક્ષત્ર પસંદ કરવું, કેવી-કેવી મુદ્રાઓ કરવી વગેરે બાબતો એ જ તંત્ર છે. હકીકતમાં તંત્રશાસ્ત્ર એ મંત્રશાસ્ત્રનું વૈજ્ઞાનિક અને પારદર્શક પાસું છે. જેમ ઉત્તરકાળમાં જયોતિષવિધા ભળતા જ હાથોમાં જવાથી બદનામ થઈ, તેમ તંત્રવિધા પણ કેટલાક લેભાગુઓના હાથમાં જવાથી અને તેનો ખૂબ જ દુરુપયોગ થવાથી બદનામ થઈ. કેટલાક તાંત્રિકોએ પોતાનો સ્વાર્થ સાધવા તેની ઉપર ગૂઢતાનું આવરણ ચડાવી દઈને તંત્રવિધાને રહસ્યમય બનાવી દીધી. જૉ તેને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યકિતને સાધનામાર્ગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. આજના આધુનિક યુગમાં પણ તંત્રસાધના થઈ શકે? દરેક યુગમાં તંત્રસાધના થઈ શકે. તંત્ર એ મંત્રશાસ્ત્રની પૂરક વિધા હોવાથી જયારે જયારે મંત્રનું સાધન થઈ શકે ત્યારે ત્યારે તંત્રનું પણ સાધન થઈ શકે. તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ફળે નહીં એમ કહેવું વધારે ઉચિત રહેશે. આજે પણ આવા સમર્થ તાંત્રિકો હોય છે. જે યુગમાં સમર્થ માંત્રિકો હોય તે યુગમાં સમર્થ તાંત્રિકો પણ હોય જ. પરંતુ સામાન્ય માણસના માનસચક્ષુ સામે તાંત્રિકનું જે ચિત્ર છે તેવા કોઈ તાંત્રિકો કયારેય હોતા નથી. તંત્રશાસ્ત્રની સાધના કોણ કરી શકે? સામાન્ય રીતે નિર્ભય, પરોપકારી, નિ:સ્વાર્થી, કર્તવ્યનિષ્ઠ, સત્યનો પક્ષપાતી, પ્રાથમિક યોગવિધાનો જાણકાર, તપસ્વી, શ્રદ્ધાળુ, ઇષ્ટદેવમાં અડગ શ્રદ્ધા ધરાવનાર અને સૌથી વધુ તો મંત્રદાતા ગુરુની ક્રુપા પામેલ વ્યકિત તંત્રસાધના કરી શકે. મંત્રની પ્રાચીનતા જેટલી જ તંત્રની પ્રાચીનતા છે. મંત્રમનીષીઓનું કથન છે કે, કોઈ અક્ષર મંત્ર વિનાનો નથી. એમાં ઉમેરો કરીને કહી શકાય કે કોઈ મંત્ર તંત્ર વિનાનો નથી! શરીરની સાથે જ શરીરનાં સમગ્ર અંગોનો જન્મ થાય છે, તેમ મંત્રની સાથે જ તંત્રનો જન્મ થાય છે. આથી મંત્રવિધાની જેમ તંત્રવિધા પણ હજારો વર્ષ જૂની છે.
પ્રતિસાદ આપો