હસ્તાક્ષર વિદ્યા
હસ્તાક્ષર દ્વારા કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે સચોટ જાણકારી મેળવી શકાય છે. હસ્તાક્ષર શાસ્ત્ર‘અંગશાસ્ત્ર’નો મહત્ત્વનો વિભાગ છે. એવું કહેવાય છે કે જેની ‘સહી’ બગડી એનો ‘દિન’ બગડયો. હકારાત્મક સિગ્નેચર સ્વર્ગસમું સુખ આપે છે અને નકારાત્મક સિગ્નેચર નરકનો અનુભવ કરાવે છે. પ્રમાણસર – પરિપક્વ સિગ્નેચર જીવનને સમતોલ બનાવે છે અને આશયયુક્ત/નકારાત્મક સિગ્નેચર જીવનમાં અનેક સંઘર્ષ કરાવે છે. બૃહદ જ્યોતિષશાસ્ત્ર – ભૃગુસંહિતામાં પણ અંગશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ જણાવ્યું છે. મનુષ્ય જીવન કર્મ ઉપર આધારિત છે. શુભ કર્મ સુખી બનાવે,અનિષ્ટ કર્મ દુઃખી દુઃખી કરી નાંખે. આપણે ‘કર્મ’ હાથથી કરીએ છીએ ને હાથ દ્વારા ‘સહી’ પણ કરીએ છીએ. હાથમાંની પ્રથમ આંગળી જે ગુરુની આંગળી ગણાય છે અને અંગૂઠો જે ‘શુક્ર’નું આધિપત્ય બતાવે છે. એ બંનેના સમન્વય અને મગજમાંથી આવતાં તરંગો દ્વારા આપણે ‘સહી’કરીએ છીએ. ગુરુ શુભ ગ્રહોનો આચાર્ય છે અને શુક્ર પાપ ગ્રહોનો આચાર્ય છે. હાથ સ્વૈચ્છિક સ્નાયુ છે. જ્યારે અનૈચ્છિક મગજ આપણા કહેવા પ્રમાણે કામ કરતું નથી. પરંતુ હાથ આપણી મરજીથી ઉપર નીચે કરી શકાય છે. આમ સ્વૈચ્છિક અને અનૈચ્છિક સ્નાયુઓના સમન્વયથી શુભ-અશુભ એટલે કે સારાં અને નરસાં તત્ત્વો આપણાં શરીરમાં છે. એ ગુરુ-શુક્રના સમન્વયથી આપણા ‘હસ્તાક્ષર’માં દૃશ્યમાન થાય છે જેનો અભ્યાસ નિઃશંક સચોટ ભાવિકથન કરી શકે છે.
કોઈ પણ વ્યક્તિ પોતાની ‘સિગ્નેચર’ ત્રણ વાર કરે તો એમાં પણ ફરક જોવામાં આવે છે. દુનિયાભરની બેંકોમાં ‘સહી’ એ જ ખાતેદારની ઓળખ તરીકે મુખ્ય ગણવામાં આવે છે. ચેક ઉપર ખોટી સહી કરો તો ખુદ ખાતેદાર પણ પૈસા ના મેળવી શકે. હસ્તાક્ષર (સહી) વ્યાપક પ્રમાણમાં પ્રબળ છે. રાષ્ટ્રપતિની સહી કાયદો બની જાય છે. સહી દ્વારા જ કોઈને પ્રમોશન લેટર મળે છે અને રૂખસદ પણ. સહીનો સહી ઉપયોગ જે નથી કરતો એ મુશ્કેલીઓનો સામનો કરે છે અને બધાં હોવા છતાં ‘એકલતા’ અનુભવે છે. હસ્તાક્ષર શાસ્ત્રને ‘અક્ષરગણિત’ કહેવાય છે. હસ્તાક્ષરની શરૂઆત જિંદગીની શરૂઆત છે. હસ્તાક્ષરનો અંત જીવનનો અંત છે. શરૂઆત અને અંતની વચ્ચે આપણે સહી કરીએ, જે લખીએ છીએ એ આપણું વર્તમાન જીવન છે. એમાં કોપી ન થઈ જાય એ ભયથી ઘણાં બધાં સિગ્નેચરને આડીઅવળી રીતે લખીને નકારાત્મક બનાવે છે.
સહીમાં લખાયેલા મૂળાક્ષરો કોઈ ને કોઈ ગ્રહ જ છે. મૂળાક્ષર કપાય ત્યાં અનિષ્ટ દોષ થાય છે. જે શાપિત દોષ,અંગારક દોષ, ગ્રહણ દોષ, ચાંડાળ દોષ, કાળસર્પ દોષ, પિતૃદોષ હોઈ શકે છે. હસ્તાક્ષરની ગુણવત્તાથી જ રાજત્વ અને દાસત્વ આવે છે. જો હસ્તાક્ષરને પદ્ધતિસર કરવામાં આવે તો વ્યક્તિને અંતરાય, વિલંબ, સંકટો અને પરિતાપમાંથી બચાવી શકાય છે અને જૂના રોગીને પણ રોગમુક્ત કરી શકાય છે. હસ્તાક્ષર અભ્યાસનું સચોટ માર્ગદર્શન જો વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ આપવામાં આવે તો ભવિષ્ય સુધારી શકાય છે. હસ્તાક્ષરનો અભ્યાસ અક્ષરસ્પંદન ગ્રહોની ચરમસીમાએ થનારી અસર હસ્તાક્ષરનું ચુંબકક્ષેત્ર, દબાણ, આરોહ-અવરોહ અને હકારાત્મક કે નકારાત્મક પ્રકાર તમામ પર આધારિત છે. હસ્તાક્ષરમાં ગમે ત્યાં ટપકાં કરવાં કે એને વગર વિચારે કાપવાથી નુકસાન – જવાબદારીમાં વધારો થાય છે. હસ્તાક્ષર કરનાર વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ગણાય. માનસિક રીતે વિકલાંગ વ્યક્તિની સહી અસ્તવ્યસ્ત હોય છે. અસ્તવ્યસ્ત સહી પરાધિન બનાવે છે. સ્વસ્થ સહી રાજા સમાન સુખ આપે છે રાજા બનવું કે રંક બનવું એ વિચારવું રહ્યું. જેમાં હાથ દ્વારા જે હસ્તાક્ષર કરીએ છીએ એ આપણાં આયોજનો વિચારોની છબી પૂરી પાડે છે.
હસ્તાક્ષર વિદ્યા એ વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવા, સમજવા અને મૂલ્યાંકન કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં હસ્તાક્ષર કે લેખનનાં સ્ટ્રોક તથા ઝુકાવ નો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક સિસ્ટમ્સમાં હસ્તાક્ષરની મીમાંસા મનોવિજ્ઞાનીક તૌર પર કરીને શીખવવામાં આવે, જે વાસ્તવમાં વ્યક્તિની પ્રકૃતિ સાથે સુસંગત થાય છે. અને વિશ્લેષકો પણ ગુણવત્તાવાળું મનોવૈજ્ઞાનિકો અધ્યયન કરે છે. બધા શિક્ષિત લોકો પોતપોતાની મોક અપ સ્ટાઈલથી અલગ અલગ લખતા હોય છે. દરેક વ્યક્તિનું લખવાનું સ્વરૂપ, ફોર્મ તથા અક્ષરો ભેગા મળીને એક વિશિષ્ટ લેખિત પેરેડાઈમ બનાવે છે જે અજોડ હોય છે. અત્યાર સુધીમાં જુદા જુદા ૧૦૦ પ્રકારના પેરેડાઈમ સંયોજનો શોધી શકાયા છે, જેના અભ્યાસ પરથી વ્યક્તિગત લક્ષણોને સીમિત માત્રામાં જાણી શકીએ છીએ. હસ્તલખાણ ઘણી વખત “બ્રેઈન લેખન” તરીકે ઓળખાય છે. હસ્તલખાણ એ માનવીના ‘વ્યક્તિત્વ અને સ્વભાવ’ સંબંધિત ઘણા રહસ્યો જાહેર કરે છે, જે તેના અર્ધજાગ્રત મનની ઝાંખી, સંવેદનાત્મક પ્રતિભાવ, બુદ્ધિ અને શક્તિ, ભય અને સંરક્ષણ, પ્રોત્સાહન અને કલ્પના, પ્રામાણિકતા અને યોગ્યતા, રુચિ-અભિરુચિ, ક્ષમતા જેવી અનેક અભિવૃત્તિ આવરી લે છે. વૈજ્ઞાનિકોએ ન્યુરો-સાયન્સ (જ્ઞાનતંતુસબંધી વિજ્ઞાન) ના ક્ષેત્રમાં મનો-સ્નાયુબદ્ધ વલણને વર્ગીકૃત કરીને તારવ્યુ છે કે તમામ લખાણ જે તે વ્યક્તિના ચોક્કસ અવલોકનક્ષમ લક્ષણો સાથે સંકળાયેલ હોય છે. દરેક વ્યક્તિત્વનું પાસું એ એક ન્યુરોલોજીકલ માઇન્ડ-પેટર્ન દ્વારા રજૂ થાય છે. જ્યારે લેખન થાય છે ત્યારે મગજની ન્યુરોલોજીકલ પેટર્ન એક અનન્ય ન્યુરો-મસ્કયુલર કમાન્ડ (સ્નાયુબદ્ધ-જ્ઞાનતંતુ અથવા તત્સંબંધી સંદેશ) પેદા કરે છે અને તે દરેક વ્યક્તિનાં વ્યક્તિત્વનું આંતરિક પાસું કે લક્ષણ ઉજાગર કરે છે. આ નાની હિલચાલ અભાનપણે થાય છે. દરેક લેખિત આરોહ-અવરોહ અથવા સ્ટ્રોક ચોક્કસ વ્યક્તિત્વ લક્ષણ પ્રગટ કરે છે. હસ્તાક્ષર વિદ્યામાં હસ્તલખાણની કસોટી દ્વારા લાંબા ફકરા કે નાના અક્ષરો-વાક્યોનું પણ જરૂરિયાત મુજબ વિશ્લેષણ થાય છે. હસ્તલખાણમાં વિવિધ વિશ્લેષણાત્મક તકનીકો અને લોજિકલ નિરીક્ષણો દ્વારા માનવીની ટેવો તેમજ પસંદગીઓ અને અણગમાઓ આધારિત સચોટ માહિતી જાણી શકાય છે. હસ્તલખાણનું વિશ્લેષણ ઘણી રીતે લાભ કરે છે, જેમ કે ગુનાવિજ્ઞાન, શિક્ષણ, રોજગાર જેવા ક્ષેત્રોમાં વ્યાવસાયિકો દ્વારા વિશેષ જાણકારી મેળવવા તેને ઉપયોગમાં લેવાય છે. આ વિદ્યાનાં પરામર્શથી લોકોમાં સ્વ વિશેની સારી સમજણ, સ્વસ્થતા અને સજાગતા કેળવાય છે અને વ્યવહારમાં પારદર્શિતા પ્રકટે છે; વળી અંતર્નિહિત પ્રતિભા પણ વિકસે છે અને તેને કારણે સોનેરી ભવિષ્યનું પૂર્વ-આયોજન થઇ શકે છે.