જે રીતે શરીરમાં કોઈ માંદગી હોય અને દવા કે અન્ય ઉપાય કરવામાં આવે છે તે જ રીતે જીવનમાં જ્યારે કોઈ કષ્ટ આવી પડે તો તેના ઉપાય કરવા પણ જરૃરી બની જાય છે. જ્યોતિષમાં આવા અનેક ઉપાયો વર્ણવવામાં આવ્યા છે, જે જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવીને સુખ પ્રાપ્ત કરાવે છે. ભારતીય જ્યોતિષ પ્રમાણે ગ્રહોની અસર માનવ જીવન ઉપર થાય છે. જો જન્મ કુંડળીમાં ગ્રહો પ્રતિકૂળ હોય તો વ્યક્તિને વધુ મહેનત કર્યા પછી પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. તેના માટે શાસ્ત્રોમાં કેટલાક ક્રિયાકાંડો તથા ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે. તેનો સમજણપૂર્વક ઉપયોગ કરવાથી ગ્રહોનો ઉપદ્રવ નષ્ટ થઈ જશે, દરિદ્રતાનો નાશ થઈ જશે. આ ઉપરાંત રોગ, કષ્ટ, અનિષ્ટ અને સઘળી નિષ્ફળતાઓ નાશ પામશે. ગ્રહની પીડા સતાવશે નહીં.
Comments on: "ઉપાયો" (1)
I WANT TO CONTACT YOU ON NET. PLEASE REPLY ME